27.3 C
Gujarat
March 3, 2025
EL News

અમદાવાદમાં દિવાળીની રાત્રે સર્વત્ર આગની ઘટનાઓ બની

Share
Ahmedabad :
દિવાળીની રાત્રે સમગ્ર ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઉત્સાહથી ફટાકડા ફોડતા અને પરિવાર સાથે આનંદ માણતા જોવા મળ્યા હતા. પરંતુ બીજી તરફ ફટાકડા ફોડવાના આનંદે આગના બનાવોને આમંત્રણ આપ્યું હતું. દિવાળીની રાત્રે ગુજરાતના અનેક શહેરોમાં આગ લાગી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, પંચમહાલમાં આગના બનાવો બન્યા છે.
PANCHI Beauty Studio
Advertisement
જોકે, સદનસીબે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આવો જાણીએ આગ ક્યાંથી લાગી. આગની ઘટના અમદાવાદના સારંગપુર વિસ્તારમાં બની હતી. માણેકપુરમાં 11 ઘરોમાં આગ લાગી. ઘરમાં આગ લાગ્યા બાદ પાંચ ગેસ સિલિન્ડર ફાટ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આગનું કારણ ફટાકડા હોવાનું માનવામાં આવે છે. આગની ઘટના બાદ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ઓફિરા બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી ગેલેરીના એક ભાગમાં આગ લાગી હતી. ફ્લેટમાં રહેતો પરિવાર બે દિવસ પહેલા દુબઈ અને થાઈલેન્ડ ગયો હતો.

આ પણ વાંચો… અમદાવાદમાં ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન કામગીરી

ત્યારબાદ ઘરમાં આગ લાગી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. દિવાળીની રજા હોવાથી પરિવાર દુબઈ ગયો હતો. ફ્લેટ બંધ થવાને કારણે મોટા અકસ્માતો થતા અટકી ગયા હતા. જો કે આગ ફટાકડાના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આગના 53 બનાવો બન્યા છે. આ તમામ ઘટનાઓમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. જો કે તમામ ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ઓછા સમયમાં માલામાલ બનાવી દે બ્લેક ગોલ્ડ.

elnews

ગુજરાત રાજ્ય સરકારના જાહેર આયોગની 245 જગ્યા.

elnews

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના 62મા જન્મદિવસે દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન

elnews

Leave a Comment

error: Content is protected !!