38.7 C
Gujarat
April 24, 2025
EL News

ગોવિંદરાજા સ્વામી મંદિરની બાજુમાં બિલ્ડીંગમાં ભીષણ આગ

Share
Bhuj, EL News

તિરુપતિમાં ગોવિંદરાજા સ્વામીના મંદિરની બાજુમાં આવેલી ઈમારતમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. આ આગ ચાર માળની ઈમારતમાં લાગી છે અને આગની જ્વાળાઓ ઝડપથી વધી રહી છે. આ બિલ્ડિંગમાં ફોટો ફ્રેમની પ્રખ્યાત દુકાન લાવણ્યા ફ્રેમ્સ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુકાનમાં આગ લાગી હતી. આ દુકાનમાં ભગવાનની હજારો તસવીરો છે. ફાયર ટેન્ડરો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ આગ પર કાબુ મેળવી શકાયો નથી.

PANCHI Beauty Studio

આગને પગલે આસપાસના માર્ગો પર વાહન વ્યવહાર ઠપ્પ

બીજી તરફ, આ ઇમારતની બાજુમાં ગોવિંદરાજા સ્વામીના મંદિરનો રથ છે. આગની જ્વાળાઓ રથને પકડી રહી છે. આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના માર્ગો પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટર અથાક મહેનત કરી રહ્યા છે. પરંતુ આગ હજુ કાબુમાં આવી નથી. આગની આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચો…  વડોદરા: નાગરવાડામાં મહાકાય વડ વૃક્ષ પડતા 4 લોકો દબાયા

જણાવી દઈએ કે ગોવિંદરાજુ મંદિર તિરુપતિ શહેરમાં જ આવેલું છે અને તે તિરુપતિ બાલાજી મંદિરથી લગભગ 22 કિલોમીટરના અંતરે આવેલું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અદાણી ગ્રીને 750 મેગાવોટના પાવર પ્રોજેક્ટ્સ માટે આંતર રાષ્ટ્રીય બેંકો પાસેથી USD 400 મિલિયનની લોન સિક્યોર કરી

elnews

તેજસ્વી યાદવ પરના માનહાનિના કેસ મામલે 23 જૂને સુનાવણી

elnews

ઘાટલોડિયાના 26 વર્ષીય વિદ્યાર્થીનું ટોરોન્ટોમાં ડૂબીને મોત

elnews

Leave a Comment

error: Content is protected !!