25 C
Gujarat
March 4, 2025
EL News

અમદાવાદ : મોડી રાત્રે જગુઆરે 25 લોકોને કચડી નાખ્યા, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત, 16 ઘાયલ

Share
Ahemdabad, EL News

ગુજરાતના અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર એક મોટી દુર્ઘટના બની છે. જેમાં નવ લોકોના મોત થયા છે. આ સિવાય 20 જેટલા લોકો ઘાયલ થયા છે. આ ગોઝારી ઘટનામાં બે પોલીસકર્મી સહિત નવ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. એસયુવી કાર (થાર) અને ડમ્પર વચ્ચેની ટક્કર બાદ જગુઆર કાર પણ ત્યાં અથડાઈ ગઈ હતી. જગુઆરે થાર અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત જોવા આવેલા ટોળાને કચડી નાખ્યા હતા. હવે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે કે કારમાં કોણ સવાર હતું?
PANCHI Beauty Studio
મળતી માહિતી મુજબ, જગુઆર કાર લગભગ 160 kmphની ફુલ સ્પીડથી આવી હતી. આટલી સ્પીડમાં આવી રહેલી કારે થયો અકસ્માત જોનારા લોકોને કચડી નાખ્યા હતા. કારની ટક્કરથી આ લોકોને 30 ફૂટ સુધી ફેંકાઈ ગયા હતા. આ અકસ્માત બાદ લોકોની ચીસોથી સમગ્ર વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો. ઘાયલોને સારવાર માટે સોલા સિવિલ અને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

મૃતકોના પરિજનોમાં શોક

આ પણ વાંચો…       મણિપુર કેસ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- આ ઘટના શરમજનક

આ અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનો રડી-રડીને બેહાલ હાલતમાં પહોંચી ગયા છે. આ પરિવારોની એક જ માંગ છે કે તેમના સ્વજનોના મૃત્યુ માટે ન્યાય મળવો જોઈએ અને જેઓ એસયુવીમાં હતા તેમને સજા મળવી જોઈએ. મૃતકોમાં સુરેન્દ્રનગર, બોટાદના યુવાનો પણ હતા. આ સિવાય બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર પોલીસ જવાનનું પણ ઘટના સ્થળે મૃત્યુ થયું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: રાંદેરના સોફ્ટવેર ડેવલોપરનું અપહરણ કરી 25 લાખ આંગડિયું કરાવ્યું,

elnews

શહેરના પતંગ બજારમાં ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી

elnews

રાજકોટ મનપામાં ૩૭ કર્મચારીઓએ આપ્યું સ્વૈચ્છીક રાજીનામું

elnews

Leave a Comment

error: Content is protected !!