EL News

રાજકોટ મનપા દ્વારા આજે ચાર વિસ્તારમાં ડિમોલીશન

Share
Rajkot , EL News

કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ ચાર વોર્ડમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકારી જમીન, રસ્તા અને વોંકળા પર ખડકાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં. રૂ.1.30 કરોડની 265 ચો.મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

Measurline Architects

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે શહેરના વોર્ડ નં.1, 2, 3 અને 9માં અલગ-અલગ 6 સ્થળોએ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…રાજકોટ: નાફેડની ઓછી કિંમત સામે ખેડૂતોમાં રોષ

જે અંતર્ગત 265 ચો.મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે. વોર્ડ નં.1માં એરપોર્ટની દિવાલ પાસે અક્ષર નગર વિસ્તારમાં ટીપી તથા ઇન્ટર્નલ રોડ પૈકીની જમીન પર, વેલનાથ ચોકથી અંદર ગોવિંદનગર વિસ્તારમાં ઇન્ટર્નલ રોડ પૈકીની જમીન, વોર્ડ નં.2માં ભોમેશ્ર્વર પ્લોટમાં પોલીસ હેડ ક્વાર્ટરની દિવાલની બાજુમાં કોર્પોરેશનની માલિકીની જમીન, વોર્ડ નં.3માં પરસાણા નગર વોંકળા અને રઘુનંદન સોસાયટી પોપટપરામાં વોંકળાની જમીન પર ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નં.9માં નટરાજ નગર વાળી આવાસ યોજનામાં સરકારી તથા ટીપી રોડ પૈકીની જમીન પર ખડકાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અગાઉ નોટિસ આપવા છતાં આસામીઓ દ્વારા દબાણો દૂર કરવામાં ન આવતા આજે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અરવિંદ કેજરીવાલ જી 20 સપ્ટેમ્બરે વડોદરા પધારશે.

elnews

હું આમ આદમી પાર્ટી સાથે જ કામ કરીશ: યુવરાજસિંહ

elnews

લારીઓનું ટ્રાન્સફર નિષ્ફળ જતાં વિક્રેતાઓ રસ્તા પર પાછા ફરે છે

elnews

Leave a Comment

error: Content is protected !!